યુજીસીને ખતમ કરી હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા (એચઇસીઆઇ)ની રચના કરાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌર ચરખા મિશન શરૂ કર્યું. જેમાં 50 કલસ્ટર સામેલ થશે અને અને દરેક ક્લસ્ટર 400 થી 2000 કારીગરોને રોજગારી આપશે.
ગાંધીનગરમાં દિવ્યાંગ ખેલો ઈન્ડિયા યોજાશે.
હૈદરાબાદમાં પ્રથમ સરકારી બ્લોકચેઇન સેન્ટર સ્થપાશે.
ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતની GDP ને થશે 2.8% ની હાનિ: વર્લ્ડ બેંક.
ઉત્તર કોરિયા માનવ તસ્કરીમાં સૌથી ખરાબ દેશ.
એપિડોલેક્સ મારીજુઆનાથી બનેલી વિશ્વની પ્રથમ દવા.
ભારતીય મૂળનાં વકીલ દીદારસિંહ ગિલ સિંગાપુરની સુપ્રીમ કોર્ટનાં ન્યાયિક કમિશનર બન્યાં.
બાલીમાં માઉન્ટ અગુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ.
સંસ્કૃત વિદ્યાર્થીઓ માટે આયુર્વેદિક ઔષધિ એક વિષય રૂપે શરૂ કરાશે.