એર ઇન્ડિયા 25 વર્ષ બાદ ફરીથી નવી દિલ્હીથી નઝફ (ઈરાક) સુધીની હવાઈ સેવા શરૂ કરશે. નઝફ શિયા મુસલમાનોનું એક પવિત્ર તિર્થ છે.
વિશ્વની સૌથી મોટી સાઇકલોથોન ‘સ્વસ્થ ભારત યાત્રા’ નવી દિલ્હીમાં સંપન્ન. આ યાત્રાનો ઉદ્દેશ્ય ‘ઇટ સેફ, ઇટ હેલ્ધી એન્ડ ઇટ ફોર્ટીફાઈડ’ સંદેશનો પ્રચાર કરવાનો હતો.
ICICI બેંકે બેંકની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પૂર્વ MD અને CEO ચંદા કોચર સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો.
નરેન્દ્ર મોદીએ દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યુ.
લલિત કલા અકાદમી આર્ટ ગેલરી, નવી દિલ્હીમાં ‘મહાત્મા ગાંધી અને વિશ્વ શાંતિ’ નામનું એક્ઝિબીશન યોજાયું.
વાઈસ એડમિરલ જી. અશોકકુમાર વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ નિયુક્ત.
યુનિયન સ્ટીલ મિનિસ્ટ્રીએ સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં સેફટી સ્ટાન્ડર્ડ્સની દેખરેખ માટે એક ‘સેફટી ડિરેક્ટરેટ’ સ્થાપવાની ઘોષણા કરી.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના કરપ્શન પરસેપ્શન્સ ઇન્ડેક્સ (CPI)માં ભારત 78મા ક્રમાંકે. ડેન્માર્ક અને ન્યુઝીલેન્ડ સૌથી ઓછા ભ્રષ્ટ દેશ.
ન્યૂયોર્ક ટાઈમ્સ ટ્રેવલ શો-2019માં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘બેસ્ટ ઇન શો’ એવોર્ડ ઓફ એકસેલન્સ જીત્યો.
કેન્દ્રીય પર્યટન મંત્રી કે. જે. અલ્ફોન્સે ગંગટોક (સિક્કિમ)માં પ્રથમ ‘ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ સર્કિટ’ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ.